Surah Al-'Ankabut

સૂરહ અલ-અન્કબૂત

રૂકૂઅ : ૬

આયત ૫૨ થી ૬૩

قُلْ كَفٰى بِاللّٰهِ بَیْنِیْ وَ بَیْنَكُمْ شَهِیْدًا ۚ یَعْلَمُ مَا فِی السَّمٰوٰتِ وَ الْاَرْضِ ؕ وَ الَّذِیْنَ اٰمَنُوْا بِالْبَاطِلِ وَ كَفَرُوْا بِاللّٰهِ ۙ اُولٰٓئِكَ هُمُ الْخٰسِرُوْنَ (52)

(૫૨) કહી દો કે, “મારા અને તમારા વચ્ચે અલ્લાહ (તઆલા)નું ગવાહ હોવું પુરતું છે, તે આકાશો અને ધરતીની દરેક વસ્તુઓને જાણનાર છે, જે લોકો અસત્યને માનવાવાળા છે અને અલ્લાહ (તઆલા)થી કુફ્ર કરવા લાગે છે, તેઓ જ ઘણા નુકસાનમાં રહેનારા છે.


وَ یَسْتَعْجِلُوْنَكَ بِالْعَذَابِ ؕ وَ لَوْ لَاۤ اَجَلٌ مُّسَمًّى لَّجَآءَهُمُ الْعَذَابُ ؕ وَ لَیَاْتِیَنَّهُمْ بَغْتَةً وَّ هُمْ لَا یَشْعُرُوْنَ (53)

(૫૩) અને આ લોકો તમારા પાસે અઝાબની ઉતાવળ કરી રહ્યા છે, જો અમારા તરફથી નિર્ધારિત સમય ન હોત તો અત્યાર સુધીમાં તો આ લોકો પાસે અઝાબ આવી ચૂક્યો હોત, આ વાત નિશ્ચિત છે કે અચાનક આમની અજાણતામાં આમના પાસે અઝાબ આવી પહોંચશે.


یَسْتَعْجِلُوْنَكَ بِالْعَذَابِ ؕ وَ اِنَّ جَهَنَّمَ لَمُحِیْطَةٌۢ بِالْكٰفِرِیْنَۙ (54)

(૫૪) આ લોકો અઝાબની ઉતાવળ કરી રહ્યા છે અને જહન્નમ કાફિરોને ઘેરી લેનાર છે.


یَوْمَ یَغْشٰىهُمُ الْعَذَابُ مِنْ فَوْقِهِمْ وَ مِنْ تَحْتِ اَرْجُلِهِمْ وَ یَقُوْلُ ذُوْقُوْا مَا كُنْتُمْ تَعْمَلُوْنَ (55)

(૫૫) તે દિવસે તેમના ઉપર નીચેથી તેમને અઝાબ ઢાંકી રહ્યો હશે અને અલ્લાહ મહાન ફરમાવશે કે હવે પોતાના બૂરા કામોની મજા ચાખો.


یٰعِبَادِیَ الَّذِیْنَ اٰمَنُوْۤا اِنَّ اَرْضِیْ وَاسِعَةٌ فَاِیَّایَ فَاعْبُدُوْنِ (56)

(૫૬) હે મારા ઈમાનવાળા બંદાઓ! મારી ધરતી ઘણી વિશાળ છે, તો તમે મારી જ બંદગી કરો.


كُلُّ نَفْسٍ ذَآئِقَةُ الْمَوْتِ {قف} ثُمَّ اِلَیْنَا تُرْجَعُوْنَ (57)

(૫૭) પ્રત્યેક જીવને મૃત્યુનો સ્વાદ ચાખવાનો છે અને તમે બધા અમારા તરફ જ પાછા ફેરવવામાં આવશો.


وَ الَّذِیْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ لَنُبَوِّئَنَّهُمْ مِّنَ الْجَنَّةِ غُرَفًا تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَا ؕ نِعْمَ اَجْرُ الْعٰمِلِیْنَ { ۖق } (58)

(૫૮) અને જે લોકો ઈમાન લાવ્યા અને નેક કામ પણ કર્યા, અમે તેમને નિશ્ચિતરૂપે જન્નતના તે ઊંચા મહેલોમાં જગ્યા આપીશું, જેના નીચે નહેરો વહેતી હશે જેમાં તેઓ હંમેશા રહેશે, નેક કામ કરનારાઓનો કેવો ઉત્તમ બદલો છે.


الَّذِیْنَ صَبَرُوْا وَ عَلٰى رَبِّهِمْ یَتَوَكَّلُوْنَ (59)

(૫૯) તે લોકો જેઓ સબ્ર કરે છે અને પોતાના રબ ઉપર ભરોસો કરે છે.


وَ كَاَیِّنْ مِّنْ دَآبَّةٍ لَّا تَحْمِلُ رِزْقَهَا { ۖق } اَللّٰهُ یَرْزُقُهَا وَ اِیَّاكُمْ { ۖز } وَ هُوَ السَّمِیْعُ الْعَلِیْمُ (60)

(૬૦) અને કેટલાક જાનવરો એવા છે જે પોતાની રોજી પીઠો પર લાદેલા નથી ફરતા, તે બધાને અને તમને પણ અલ્લાહ જ રોજી આપે છે તે ખૂબ સાંભળનાર અને જાણનાર છે.


وَ لَئِنْ سَاَلْتَهُمْ مَّنْ خَلَقَ السَّمٰوٰتِ وَ الْاَرْضَ وَ سَخَّرَ الشَّمْسَ وَ الْقَمَرَ لَیَقُوْلُنَّ اللّٰهُ ۚ فَاَنّٰى یُؤْفَكُوْنَ (61)

(૬૧) અને જો તમે એમને પૂછો કે, “ધરતી અને આકાશોનો સર્જનહાર અને સૂર્ય તથા ચંદ્રને કામે લગાડનાર કોણ છે?” તો એમનો જવાબ એ જ હશે કે, “અલ્લાહ (તઆલા)” તો પછી ક્યાંથી ભટકી રહ્યાં છો?


اَللّٰهُ یَبْسُطُ الرِّزْقَ لِمَنْ یَّشَآءُ مِنْ عِبَادِهٖ وَ یَقْدِرُ لَهٗ ؕ اِنَّ اللّٰهَ بِكُلِّ شَیْءٍ عَلِیْمٌ (62)

(૬૨) અલ્લાહ (તઆલા) જ પોતાના બંદાઓમાંથી જેને ચાહે છે વધારે રોજી આપે છે અને જેને ચાહે ઓછી, બેશક અલ્લાહ (તઆલા) દરેક વસ્તુનો જાણકાર છે.


وَ لَئِنْ سَاَلْتَهُمْ مَّنْ نَّزَّلَ مِنَ السَّمَآءِ مَآءً فَاَحْیَا بِهِ الْاَرْضَ مِنْۢ بَعْدِ مَوْتِهَا لَیَقُوْلُنَّ اللّٰهُ ؕ قُلِ الْحَمْدُ لِلّٰهِ ؕ بَلْ اَكْثَرُهُمْ لَا یَعْقِلُوْنَ ۧ (63)

(૬૩) અને જો તમે એમને પૂછશો કે, “આકાશમાંથી પાણી વરસાવી ધરતીને તેના મૃત્યુ પછી જીવતી કરવાવાળો કોણ છે?” તો બેશક તેમનો જવાબ એ જ હશે કે, “અલ્લાહ (તઆલા)” તમે કહી દો કે, “તમામ પ્રશંસા અલ્લાહ માટે જ છે”, બલ્કે આમાંના મોટાભાગના લોકો બુદ્ધિ ધરાવતા નથી. (ع-)