Surah At-Takwir

સૂરહ અત્-તકવીર

આયત : ૨૯ | રૂકૂ : ૧

સૂરહ અત્-તકવીર (૮)

લપેટી લેવું

સૂરહ અત્-તકવીર મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં ઓગણત્રીસ (૨૯) આયતો અને એક () રૂકૂઅ છે.

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

اِذَا الشَّمْسُ كُوِّرَتْ { ۙص} (1)

(૧) જ્યારે સૂર્યને લપેટી દેવામાં આવશે.


وَ اِذَا النُّجُوْمُ انْكَدَرَتْ { ۙص} (2)

(૨) અને જ્યારે તારાઓ પ્રકાશ વગરના થઈ જશે.


وَ اِذَا الْجِبَالُ سُیِّرَتْ { ۙص} (3)

(૩) અને જયારે પર્વતો ચલાવવામાં આવશે.


وَ اِذَا الْعِشَارُ عُطِّلَتْ { ۙص} (4)

(૪) અને જ્યારે ગાભણી ઊંટણીઓ છોડી મૂકવામાં આવશે.


وَ اِذَا الْوُحُوْشُ حُشِرَتْ { ۙص} (5)

(૫) અને જ્યારે જંગલી પશુઓ (હિંસક) ભેગા કરવામાં આવશે.


وَ اِذَا الْبِحَارُ سُجِّرَتْ { ۙص} (6)

(૬) અને જ્યારે સમુદ્રોને સળગાવી દેવામાં આવશે.


وَ اِذَا النُّفُوْسُ زُوِّجَتْ { ۙص} (7)

(૭) અને જ્યારે પ્રાણો (રૂહો) ને જોડી દેવામાં આવશે.


وَ اِذَا الْمَوْءٗدَةُ سُئِلَتْ { ۙص} (8)

(૮) અને જ્યારે જીવતી દાટી દેવામાં આવેલી બાળકીને પૂછવામાં આવશે.


بِاَیِّ ذَنْۢبٍ قُتِلَتْ ۚ (9)

(૯) કે કયા ગુનાહોના કારણે તેને મારી નાંખવામાં આવી ?


وَ اِذَا الصُّحُفُ نُشِرَتْ { ۙص} (10)

(૧૦) અને જ્યારે કર્મપોથી (આમાલનામું) ખોલી નાંખવામાં આવશે


وَ اِذَا السَّمَآءُ كُشِطَتْ{ ۙص} (11)

(૧૧) અને જ્યારે આકાશનું આવરણ ખેંચી લેવામાં આવશે.


وَ اِذَا الْجَحِیْمُ سُعِّرَتْ{ ۙص} (12)

(૧૨) અને જયારે જહન્નમને ભડકાવવામાં આવશે.


وَ اِذَا الْجَنَّةُ اُزْلِفَتْ { ۙص} (13)

(૧૩) અને જ્યારે જન્નતને નજીક લાવી દેવામાં આવશે.


عَلِمَتْ نَفْسٌ مَّاۤ اَحْضَرَتْ ؕ (14)

(૧૪) તો તે દિવસે દરેક મનુષ્ય જાણી લેશે, જે કંઈ લઈને આવ્યો હશે.


فَلَاۤ اُقْسِمُ بِالْخُنَّسِ ۙ (15)

(૧૫) હું સોગંદ ખાઉં છું પાછળ હટવાવાળા.


الْجَوَارِ الْكُنَّسِ ۙ (16)

(૧૬) હરવા-ફરવાવાળા, છૂપાઈ જનારા તારાઓના.


وَ الَّیْلِ اِذَا عَسْعَسَ ۙ (17)

(૧૭) અને રાત્રિના જયારે તે વિદાય થાય.


وَ الصُّبْحِ اِذَا تَنَفَّسَ ۙ (18)

(૧૮) અને સવારના જ્યારે તે પ્રકાશવા માંડે.


اِنَّهٗ لَقَوْلُ رَسُوْلٍ كَرِیْمٍ ۙ (19)

(૧૯) બેશક આ એક પ્રતિષ્ઠિત રસૂલનું કથન (વાણી) છે.


ذِیْ قُوَّةٍ عِنْدَ ذِی الْعَرْشِ مَكِیْنٍ ۙ (20)

(૨૦) જે તાકતવર છે, અર્શવાળા (અલ્લાહ)ના પાસે ઉચ્ચ દરજ્જાવાળો છે.


مُّطَاعٍ ثَمَّ اَمِیْنٍ ؕ (21)

(૨૧) જેનું ત્યાં (આકાશો પર આજ્ઞાનું) પાલન કરવામાં આવે છે અને (તે) ભરોસાપાત્ર (અમીન) છે.


وَ مَا صَاحِبُكُمْ بِمَجْنُوْنٍ ۚ (22)

(૨૨) અને તમારો સાથી દીવાનો નથી.


وَ لَقَدْ رَاٰهُ بِالْاُفُقِ الْمُبِیْنِ ۚ (23)

(૨૩) તેણે તે (ફરિશ્તા) ને આકાશના ખુલ્લા કિનારા (ક્ષિતિજ) પાસે પણ જોયો છે.


وَ مَا هُوَ عَلَى الْغَیْبِ بِضَنِیْنٍ ۚ (24)

(૨૪) અને આ (નબી) ગૈબની વાતો બતાવવામાં કંજૂસ પણ નથી.


وَ مَا هُوَ بِقَوْلِ شَیْطٰنٍ رَّجِیْمٍ ۙ (25)

(૨૫) અને આ (કુરઆન) હડધૂત શેતાનની વાણી નથી.


فَاَیْنَ تَذْهَبُوْنَ ؕ (26)

(૨૬) પછી તમે લોકો કઈ તરફ જઈ રહ્યા છો ?


اِنْ هُوَ اِلَّا ذِكْرٌ لِّلْعٰلَمِیْنَ ۙ (27)

(૨૭) આ તો સમગ્ર દુનિયાવાળાઓ માટે નસીહત છે.


لِمَنْ شَآءَ مِنْكُمْ اَنْ یَّسْتَقِیْمَ ؕ (28)

(૨૮) (ખાસ કરીને તેમના માટે) જેઓ તમારામાંથી સીધા માર્ગ પર ચાલવા ઈચ્છે.


وَ مَا تَشَآءُوْنَ اِلَّاۤ اَنْ یَّشَآءَ اللّٰهُ رَبُّ الْعٰلَمِیْنَ ۧ (29)

(૨૯) અને તમે સમગ્ર સૃષ્ટિના રબની ઈચ્છા વગર કંઈ ચાહી શકતા નથી. (ع-)