Surah Al-Baqarah

સૂરહ અલ-બકરહ

રૂકૂઅ : ૪

આયત ૩૦ થી ૩૯


وَإِذْ قَالَ رَبُّكَ لِلْمَلَائِكَةِ إِنِّي جَاعِلٌ فِي الْأَرْضِ خَلِيفَةً ۖ قَالُوا أَتَجْعَلُ فِيهَا مَن يُفْسِدُ فِيهَا وَيَسْفِكُ الدِّمَاءَ وَنَحْنُ نُسَبِّحُ بِحَمْدِكَ وَنُقَدِّسُ لَكَ ۖ قَالَ إِنِّي أَعْلَمُ مَا لَا تَعْلَمُونَ (30)

(૩૦) અને જ્યારે તમારા રબે ફરિશ્તાઓને કહ્યું કે, હું ધરતીમાં એક નાયબ (એવો ગિરોહ જે એકબીજાના પછી આવશે)બનાવવા જઈ રહ્યો છું, તો એમણે કહ્યું શું તુ એવા લોકોને પેદા કરીશ જે એમાં ફસાદ અને ખૂનામરકી(ખૂન ખરાબી) કરે, અને અમે તારા વખાણ ની સાથે તારી તસ્બીહ કરી અને પવિત્રતાનું વર્ણન કરીએ છીએ, એણે કહ્યું જે હું જાણું છું તે તમે નથી જાણતા.


وَعَلَّمَ آدَمَ الْأَسْمَاءَ كُلَّهَا ثُمَّ عَرَضَهُمْ عَلَى الْمَلَائِكَةِ فَقَالَ أَنبِئُونِي بِأَسْمَاءِ هَٰؤُلَاءِ إِن كُنتُمْ صَادِقِينَ (31)

(૩૧) અને તેણે (અલ્લાહ તઆલાએ) આદમને બધી વસ્તુઓના નામ શીખવ્યા પછી તે વસ્તુઓને ફરિશ્તાઓ સમક્ષ રજૂ કરી દીધી અને ફરમાવ્યું કે જો તમે સાચા હોવ તો આ વસ્તુઓના નામ બતાવો.


قَالُوا سُبْحَانَكَ لَا عِلْمَ لَنَا إِلَّا مَا عَلَّمْتَنَا ۖ إِنَّكَ أَنتَ الْعَلِيمُ الْحَكِيمُ (32)

(૩૨) એ તમામે કહ્યું, હે અલ્લાહ! તુ પવિત્ર હસ્તી છે, અમને તો બસ એટલું જ જ્ઞાન છે જેટલું તેં અમને શીખવ્યું છે, સંપૂર્ણ જ્ઞાન અને હિકમત (ડહાપણ) વાળો તું જ છે


قَالَ يَا آدَمُ أَنبِئْهُم بِأَسْمَائِهِمْ ۖ فَلَمَّا أَنبَأَهُم بِأَسْمَائِهِمْ قَالَ أَلَمْ أَقُل لَّكُمْ إِنِّي أَعْلَمُ غَيْبَ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَأَعْلَمُ مَا تُبْدُونَ وَمَا كُنتُمْ تَكْتُمُونَ (33)

(૩૩) પછી અલ્લાહએ આદમને કહ્યું, તમે આમને તે નામ જણાવો, જયારે એમણે (આદમે) તે સૌના નામ જણાવી દીધા ત્યારે અલ્લાહએ ફરમાવ્યું મેં તમને (પહેલા) કહ્યું ન હતું કે હું આકાશ અને ધરતીની એ સમગ્ર હકીકતો જાણું છું જે તમારાથી સંપૂર્ણ રીતે છુપાયેલી છે, જે કઈ તમે જાહેર કરો છો તેની પણ મને ખબર છે અને જે કંઈ તમે છુપાઓ છો તેને પણ હું જાણું છું.


وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ أَبَىٰ وَاسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكَافِرِينَ (34)

(૩૪) અને જ્યારે અમે ફરિશ્તાઓને કહ્યું કે આદમને સિજદો કરો, તો ઈબ્લીસના સિવાય બધાએ સિજદો કર્યો. એણે ઈન્કાર કર્યો અને ઘમંડ કર્યો અને તે હતો જ કાફિરોમાંથી.


وَقُلْنَا يَا آدَمُ اسْكُنْ أَنتَ وَزَوْجُكَ الْجَنَّةَ وَكُلَا مِنْهَا رَغَدًا حَيْثُ شِئْتُمَا وَلَا تَقْرَبَا هَٰذِهِ الشَّجَرَةَ فَتَكُونَا مِنَ الظَّالِمِينَ (35)

(૩૫) પછી અમે આદમને કહ્યું તમે અને તમારી પત્ની જન્નતમાં રહો અને અહીં મુક્તપણે જે ઈચ્છો તે ખાઓ પરંતુ આ વૃક્ષની નજીક ન જશો, નહીંતર અત્યાચારી બની જશો.


فَأَزَلَّهُمَا الشَّيْطَانُ عَنْهَا فَأَخْرَجَهُمَا مِمَّا كَانَا فِيهِ ۖ وَقُلْنَا اهْبِطُوا بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ ۖ وَلَكُمْ فِي الْأَرْضِ مُسْتَقَرٌّ وَمَتَاعٌ إِلَىٰ حِينٍ (36)

(૩૬) પરંતુ શયતાને તેમને ફોસલાવીને ત્યાંથી કઢાવી જ દીધા, અને અમે કહી દીધું કે, “ઉતરો, તમે એકબીજાના દુશ્મન છો, અને તમારે એક નિર્ધારિત મુદ્દત સુધી ધરતી પર રોકાવાનું અને ફાયદો ઉઠાવવાનો છે".


فَتَلَقَّىٰ آدَمُ مِن رَّبِّهِ كَلِمَاتٍ فَتَابَ عَلَيْهِ ۚ إِنَّهُ هُوَ التَّوَّابُ الرَّحِيمُ (37)

(૩૭) આદમ (અ. સ.) એ પોતાના પાલનહાર પાસેથી કેટલીક વાતો શીખી લીધી (અને અલ્લાહથી તૌબા (ક્ષમા યાચના) કરી) તેણે તેમની તૌબા કબૂલ કરી લીધી, બેશક તે જ તૌબા કબૂલ કરવાવાળો મહેરબાન છે.


قُلْنَا اهْبِطُوا مِنْهَا جَمِيعًا ۖ فَإِمَّا يَأْتِيَنَّكُم مِّنِّي هُدًى فَمَن تَبِعَ هُدَايَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ (38)

(૩૮) અમે કહ્યું તમે બધા અહીંથી ઉતરો, પછી જો તમારા પાસે મારા તરફથી હિદાયત (માર્ગદર્શન) આવે તો જેઓ મારા સાચા માર્ગને અપનાવશે તેમના પર ન કોઈ ડર હશે ન તેઓ ઉદાસ હશે.


وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ (39)

(૩૯) અને જેઓ કુફ્ર તેમજ જૂઠ વડે અમારી આયતોને ખોટી ઠેરવશે, તેઓ જહન્નમ (નર્ક)માં રહેનારા છે, અને હંમેશા તેમાં રહેશે.