(૩૦
) અને જ્યારે તમારા રબે ફરિશ્તાઓને કહ્યું કે, હું ધરતીમાં એક નાયબ (એવો ગિરોહ જે એકબીજાના પછી આવશે)બનાવવા જઈ રહ્યો છું, તો એમણે કહ્યું શું તુ એવા લોકોને પેદા કરીશ જે એમાં ફસાદ અને ખૂનામરકી(ખૂન ખરાબી) કરે, અને અમે તારા વખાણ ની સાથે તારી તસ્બીહ કરી અને પવિત્રતાનું વર્ણન કરીએ છીએ, એણે કહ્યું જે હું જાણું છું તે તમે નથી જાણતા.