Surah An-Naml

સૂરહ અન્-નમમ્લ

રૂકૂઅ : ૬

આયત ૬૭ થી ૮૨

وَ قَالَ الَّذِیْنَ كَفَرُوْۤا ءَاِذَا كُنَّا تُرٰبًا وَّ اٰبَآؤُنَاۤ اَئِنَّا لَمُخْرَجُوْنَ (67)

(૬૭) કાફિરોએ કહ્યું કે, “શું જયારે અમે માટી થઈ જઈશું અને અમારા બાપ-દાદા પણ, તો શું અમને ફરીથી જીવતા કાઢવામાં આવશે?


لَقَدْ وُعِدْنَا هٰذَا نَحْنُ وَ اٰبَآؤُنَا مِنْ قَبْلُ ۙ اِنْ هٰذَاۤ اِلَّاۤ اَسَاطِیْرُ الْاَوَّلِیْنَ (68)

(૬૮) અમને અને અમારા પૂર્વજોને ઘણા પહેલાથી આ વાયદા આપવામાં આવતા રહ્યા છે. કશું નથી, આ તો ફક્ત પૂર્વજોની કાલ્પનિક વાર્તાઓ છે.”


قُلْ سِیْرُوْا فِی الْاَرْضِ فَانْظُرُوْا كَیْفَ كَانَ عَاقِبَةُ الْمُجْرِمِیْنَ (69)

(૬૯) કહી દો કે, “ધરતીમાં થોડુંક હરી-ફરીને જુઓ તો ખરા કે ગુનેહગારોનો કેવો અંજામ થયો?


وَ لَا تَحْزَنْ عَلَیْهِمْ وَ لَا تَكُنْ فِیْ ضَیْقٍ مِّمَّا یَمْكُرُوْنَ (70)

(૭૦) તમે એમના વિશે ચિંતા ન કરો અને તેમના કાવતરાઓથી દિલ તંગ ન કરો.


وَ یَقُوْلُوْنَ مَتٰى هٰذَا الْوَعْدُ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ (71)

(૭૧) અને તેઓ કહે છે કે, “આ વાયદો ક્યારે છે, જો તમે સાચા હોવ તો બતાવી દો.”


قُلْ عَسٰۤى اَنْ یَّكُوْنَ رَدِفَ لَكُمْ بَعْضُ الَّذِیْ تَسْتَعْجِلُوْنَ (72)

(૭૨) જવાબ આપો કે, “કદાચ તે વસ્તુઓ જેની તમે ઉતાવળ કરી રહ્યા છો, તે તમારાથી ઘણી નજદીક પણ થઈ ગઈ હોય.”


وَ اِنَّ رَبَّكَ لَذُوْ فَضْلٍ عَلَى النَّاسِ وَ لٰكِنَّ اَكْثَرَهُمْ لَا یَشْكُرُوْنَ (73)

(૭૩) અને બેશક તમારો રબ તમામ લોકો ઉપર ઘણી કૃપા કરવાવાળો છે, પરંતુ મોટા ભાગના લોકો આભાર માનતા નથી.


وَ اِنَّ رَبَّكَ لَیَعْلَمُ مَا تُكِنُّ صُدُوْرُهُمْ وَ مَا یُعْلِنُوْنَ (74)

(૭૪) અને બેશક તમારો રબ તે વાતોને પણ જાણે છે જેને તેઓ પોતાના દિલોમાં છુપાવી રહ્યા છે, અને જેને જાહેર કરી રહ્યા છે.


وَ مَا مِنْ غَآئِبَةٍ فِی السَّمَآءِ وَ الْاَرْضِ اِلَّا فِیْ كِتٰبٍ مُّبِیْنٍ (75)

(૭૫) આકાશ અને ધરતીની કોઈ છૂપી વસ્તુ પણ એવી નથી જે સ્પષ્ટ ખુલ્લી કિતાબમાં ન હોય.


اِنَّ هٰذَا الْقُرْاٰنَ یَقُصُّ عَلٰى بَنِیْۤ اِسْرَآءِیْلَ اَكْثَرَ الَّذِیْ هُمْ فِیْهِ یَخْتَلِفُوْنَ (76)

(૭૬) બેશક આ કુરઆન ઈસરાઈલની સંતાનના સામે તે વાતોને વધારે પડતી વર્ણન કરી રહ્યું છે જેમાં આ લોકો મતભેદ કરે છે.


وَ اِنَّهٗ لَهُدًى وَّ رَحْمَةٌ لِّلْمُؤْمِنِیْنَ (77)

(૭૭) અને આ (કુરઆન) ઈમાનવાળાઓના માટે બેશક હિદાયત અને રહમત છે.


اِنَّ رَبَّكَ یَقْضِیْ بَیْنَهُمْ بِحُكْمِهٖ ۚ وَ هُوَ الْعَزِیْزُ الْعَلِیْمُۙۚ (78)

(૭૮) તમારો રબ તેમના વચ્ચે પોતાના હુકમથી ફેંસલો કરી દેશે, તે મોટો પ્રભુત્વશાળી અને જાણવાવાળો છે.


فَتَوَكَّلْ عَلَى اللّٰهِ ؕ اِنَّكَ عَلَى الْحَقِّ الْمُبِیْنِ (79)

(૭૯) એટલા માટે તમે અલ્લાહ (તઆલા) ઉપર જ ભરોસો રાખો, બેશક તમે સાચા અને સ્પષ્ટ ધર્મ ઉપર છો.


اِنَّكَ لَا تُسْمِعُ الْمَوْتٰى وَ لَا تُسْمِعُ الصُّمَّ الدُّعَآءَ اِذَا وَلَّوْا مُدْبِرِیْنَ (80)

(૮૦) બેશક તમે ન મડદાઓને સંભળાવી શકો છો અને ન બહેરાઓને પોતાની પોકાર સંભળાવી શકો છો, જ્યારે કે તેઓ પીઠ ફેરવીને, મોઢું ફેરવીને જઈ રહ્યા હોય.


وَ مَاۤ اَنْتَ بِهٰدِی الْعُمْیِ عَنْ ضَلٰلَتِهِمْ ؕ اِنْ تُسْمِعُ اِلَّا مَنْ یُّؤْمِنُ بِاٰیٰتِنَا فَهُمْ مُّسْلِمُوْنَ (81)

(૮૧) અને ન તમે આંધળાઓને તેમની ગુમરાહીથી હટાવીને હિદાયત આપી શકો છો, તમે તો ફક્ત તેમને જ સંભળાવી શકો છો જેઓ અમારી આયતો પર ઈમાન લાવે છે અને પછી તેઓ ફરમાબરદાર બની જાય છે.


وَ اِذَا وَقَعَ الْقَوْلُ عَلَیْهِمْ اَخْرَجْنَا لَهُمْ دَآبَّةً مِّنَ الْاَرْضِ تُكَلِّمُهُمْ ۙ اَنَّ النَّاسَ كَانُوْا بِاٰیٰتِنَا لَا یُوْقِنُوْنَ ۧ (82)

(૮૨) અને જ્યારે તેમના ઉપર અઝાબનો વાયદો સાબિત થઈ જશે, ત્યારે અમે ધરતીમાંથી તેમના માટે એક જાનવર કાઢીશું જે તેમના સાથે વાતો કરતું હશે, કે લોકો અમારી આયતો પર વિશ્વાસ કરતા ન હતા. (ع-)