Surah Maryam
સૂરહ મરયમ
રૂકૂઅ : ૫
આયત ૬૬ થી ૮૨
وَ یَقُوْلُ الْاِنْسَانُ ءَاِذَا مَا مِتُّ لَسَوْفَ اُخْرَجُ حَیًّا (66)
(૬૬) અને મનુષ્ય કહે છે કે, “જ્યારે હું મરી જઈશ તો શું મને ફરીથી જીવતો કરીને કાઢવામાં આવશે ? ”
اَوَ لَا یَذْكُرُ الْاِنْسَانُ اَنَّا خَلَقْنٰهُ مِنْ قَبْلُ وَ لَمْ یَكُ شَیْئًا (67)
(૬૭) શું આ મનુષ્ય એટલું પણ યાદ નથી રાખતો કે અમે તેને આના પહેલા પેદા કર્યો, જ્યારે કે તે કંઈ જ ન હતો ?
فَوَرَبِّكَ لَنَحْشُرَنَّهُمْ وَ الشَّیٰطِیْنَ ثُمَّ لَنُحْضِرَنَّهُمْ حَوْلَ جَهَنَّمَ جِثِیًّاۚ (68)
(૬૮) તમારા રબના સોગંદ ! અમે તેમને અને શેતાનોને ભેગા કરીને જરૂર જહન્નમના ફરતે ઘૂંટણભેર હાજર કરી દઈશું.
ثُمَّ لَنَنْزِعَنَّ مِنْ كُلِّ شِیْعَةٍ اَیُّهُمْ اَشَدُّ عَلَى الرَّحْمٰنِ عِتِیًّاۚ (69)
(૬૯) પછી અમે દરેક જૂથોમાંથી તેમને અલગ કાઢી લઈશું, જેઓ રહમાનથી ઘણા અકડાઈને ફરતા હતા.
ثُمَّ لَنَحْنُ اَعْلَمُ بِالَّذِیْنَ هُمْ اَوْلٰى بِهَا صِلِیًّا (70)
(૭૦) પછી અમે તેમને પણ સારી રીતે જાણીએ છીએ જેઓ જહન્નમમાં દાખલ થવાને વધારે લાયક છે.
وَ اِنْ مِّنْكُمْ اِلَّا وَارِدُهَا ۚ كَانَ عَلٰى رَبِّكَ حَتْمًا مَّقْضِیًّاۚ (71)
(૭૧) અને તમારામાંથી દરેક ત્યાં જરૂર હાજર થવાનો છે, આ એક નિર્ધારિત કરેલ વાત છે જેને પૂરી કરવા તમારા રબના શિરે છે.
ثُمَّ نُنَجِّی الَّذِیْنَ اتَّقَوْا وَّ نَذَرُ الظّٰلِمِیْنَ فِیْهَا جِثِیًّا (72)
(૭૨) પછી અમે પરહેઝગારોને બચાવી લઈશું અને જુલમ કરનારાઓને તેમાં જ ઘૂંટણભેર પડેલા છોડી દઈશું.
وَ اِذَا تُتْلٰى عَلَیْهِمْ اٰیٰتُنَا بَیِّنٰتٍ قَالَ الَّذِیْنَ كَفَرُوْا لِلَّذِیْنَ اٰمَنُوْۤا ۙ اَیُّ الْفَرِیْقَیْنِ خَیْرٌ مَّقَامًا وَّ اَحْسَنُ نَدِیًّا (73)
(૭૩) અને જ્યારે તેમના સામે અમારી સ્પષ્ટ આયતો પઢવામાં આવે છે તો કાફિરો મુસલમાનોને કહે છે (બતાવો) આપણા બંને જૂથોમાંથી કોનો માન-મર્તબો વધારે છે અને કોની બેઠકો (સભાઓ) વધારે શાનદાર છે ?
وَ كَمْ اَهْلَكْنَا قَبْلَهُمْ مِّنْ قَرْنٍ هُمْ اَحْسَنُ اَثَاثًا وَّ رِءْیًا (74)
(૭૪) અને અમે તો આમના પહેલા ઘણી ઉમ્મતો બરબાદ કરી ચૂક્યા છીએ, જે સાધન-સંપન્ન અને બાહ્ય ઠાઠ- માઠમાં આમનાથી ચઢિયાતી હતી.
قُلْ مَنْ كَانَ فِی الضَّلٰلَةِ فَلْیَمْدُدْ لَهُ الرَّحْمٰنُ مَدًّا ۚ٥ حَتّٰۤى اِذَا رَاَوْا مَا یُوْعَدُوْنَ اِمَّا الْعَذَابَ وَ اِمَّا السَّاعَةَ ؕ فَسَیَعْلَمُوْنَ مَنْ هُوَ شَرٌّ مَّكَانًا وَّ اَضْعَفُ جُنْدًا (75)
(૭૫) કહી દો કે, “જે ભટકાવમાં હોય છે રહમાન તેને ઘણી ઢીલ આપે છે, ત્યાં સુધી કે તેઓ તે વસ્તુને જોઈ લે જેનો વાયદો કરવામાં આવ્યો છે, એટલે કે અઝાબ અથવા કયામતનો, તે સમયે તેમને સારી રીતે જાણ થઈ જશે કે કોની સ્થિતિ ખરાબ છે અને કોનું જૂથ નબળું છે.”
وَ یَزِیْدُ اللّٰهُ الَّذِیْنَ اهْتَدَوْا هُدًى ؕ وَ الْبٰقِیٰتُ الصّٰلِحٰتُ خَیْرٌ عِنْدَ رَبِّكَ ثَوَابًا وَّ خَیْرٌ مَّرَدًّا (76)
(૭૬) અને હિદાયત પામેલા લોકોને અલ્લાહ હિદાયતમાં આગળ વધારે છે અને બાકી રહેનારી નેકી તમારા રબના નજદીક બદલા અને પરિણામની દષ્ટિએ ઉત્તમ છે.
اَفَرَءَیْتَ الَّذِیْ كَفَرَ بِاٰیٰتِنَا وَ قَالَ لَاُوْتَیَنَّ مَالًا وَّ وَلَدًاؕ (77)
(૭૭) શું તમે તેને પણ જોયો છે જેણે અમારી આયતોના સાથે કુફ્ર કર્યુ અને કહ્યું કે મને તો માલ અને સંતાન જરૂર આપવામાં આવશે ?
اَطَّلَعَ الْغَیْبَ اَمِ اتَّخَذَ عِنْدَ الرَّحْمٰنِ عَهْدًاۙ (78)
(૭૮) શું તે ગૈબ (પરોક્ષ) નું ઈલ્મ ધરાવે છે અથવા અલ્લાહ પાસે કોઈ વાયદો લઈ ચૂકયો છે?
كَلَّا ؕ سَنَكْتُبُ مَا یَقُوْلُ وَ نَمُدُّ لَهٗ مِنَ الْعَذَابِ مَدًّاۙ (79)
(૭૯) કદાપિ નહિ, આ જે કંઈ કહી રહ્યો છે અમે તેને જરૂર લખી લઈશું, અને તેના માટે સજા વધારતા જઈશું.
وَّ نَرِثُهٗ مَا یَقُوْلُ وَ یَاْتِیْنَا فَرْدًا (80)
(૮૦) અને આ જે વસ્તુના વિશે કહી રહ્યો છે તેને અમે તેના પછી લઈ લઈશું, અને આ એકલો જ અમારા સામે હાજર થશે.
وَ اتَّخَذُوْا مِنْ دُوْنِ اللّٰهِ اٰلِهَةً لِّیَكُوْنُوْا لَهُمْ عِزًّاۙ (81)
(૮૧) તેમણે અલ્લાહના સિવાય બીજા મા'બૂદ બનાવી રાખ્યા છે કે તેઓ તેમના માટે ઈજ્જતનું કારણ હોય.
كَلَّا ؕ سَیَكْفُرُوْنَ بِعِبَادَتِهِمْ وَ یَكُوْنُوْنَ عَلَیْهِمْ ضِدًّا ۧ (82)
(૮૨) પરંતુ એવું કદી પણ નહિ બને, તે બધા તેમની બંદગીથી ફરી જશે, અને ઊલ્ટા તેમના દુશ્મન બની જશે. (ع-૫)