(૨૫) અને બેશક અમે નૂહ (અ.સ.) ને તેમની કોમ તરફ રસૂલ બનાવીને મોકલ્યા, (તેમણે કહ્યું) કે, “હું તમને સ્પષ્ટ રીતે ચેતવણી આપનાર છું.
(૨૬) કે તમે ફક્ત અલ્લાહની બંદગી કર્યા કરો,[1] મને તો તમારા ઉપર દુઃખદાયી અઝાબના દિવસનો ડર છે.”
(૨૭) તો તેમની કોમના કાફિર સરદારોએ જવાબ આપ્યો કે, “અમે તો તમને અમારા જેવા મનુષ્ય જ જોઈએ છીએ,[1] અને તમારા પેરોકારને પણ જોઈએ છીએ કે સ્પષ્ટ રીતે સિવાય નીચા લોકોના[2] બીજા કોઈ નથી (જેઓ તમારૂ અનુસરણ કરી રહ્યા છે) અમે તો તમારી કોઈ રીતે અમારા ઉપર શ્રેષ્ઠતા નથી જોઈ રહ્યા, બલ્કે અમે તમને જૂઠા સમજીએ છીએ.
(૨૮) (નૂહે) કહ્યું, “અય મારી કોમવાળાઓ ! મને બતાવો જો હું મારા રબ તરફથી મેળવેલ નિશાનીઓ પર થયો અને મને તેણે પોતાના પાસેથી કૃપા પ્રદાન કરી હોય[1] પછી તે તમારી આંખોમાં ન સમાય તો શું બળજબરી તમારા ગળામાં નાખી દઉં જયારે કે તમે તેને ઈચ્છતા ન હોય.
(૨૯) અય મારી કોમવાળાઓ! હું આના બદલામાં તમારા પાસે કોઈ ધન નથી માંગતો, મારો બદલો કક્ત અલ્લાહ પાસે છે, ન હું ઈમાનવાળાઓને પોતાના પાસેથી કાઢી શકુ છું,[1] તેમને પોતાના રબને મળવાનું છે, પરંતુ હું જોઈ રહ્યો છું કે તમે લોકો બેવકૂફી કરી રહ્યા છો.
(૩૦) અને અય મારી કોમવાળાઓ ! જો હું ઈમાનવાળાઓને પોતાના પાસેથી કાઢી મૂકું, તો અલ્લાહના સરખામણીમાં મારી મદદ કોણ કરી શકે છે ? શું તમે થોડો પણ સોચ-વિચાર નથી કરતા ?
(૩૧) અને હું તમને કહેતો કે મારા પાસે અલ્લાહના ખજાનાઓ છે, (સાંભળો) હું ગૈબનું ઈલ્મ પણ નથી ધરાવતો, ન હું એમ કહું છું કે હું ફરિશ્તો છું, ન હં કહુ છું કે જેમના પર તમારી દ્રષ્ટી અપમાનથી પડી રહી છે તેમને અલ્લાહ (તઆલા) કોઈ ભલાઈ આપશે નહિ. તેમના દિલોમાં જે કંઈ છે તેને અલ્લાહ સારી રીતે છે, જો હું આવું કહું તો બેશક મારી પણ ગણતરી જાલિમોમાંથી થઈ જશે.
(૩૨) (કોમના લોકોએ) કહ્યું, “અય નૂહ! તમે અમારા સાથે ઘણો વાદ-વિવાદ કરી ચૂક્યા છો, હવે તો તમે જે વસ્તુથી અમને ડરાવો છોતે અમારા પાસે લઈ આવો જો તમે સાચા છો.[1]
(૩૩) જવાબ આપ્યો કે, “તેને પણ અલ્લાહ (તઆલા) જ લાવશે જો તે ચાહે, અને હાં, તમે તેને વિવશ કરી શકતા નથી."[1]
(૩૪) અને તમને મારી નસીહત કોઈ પણ ફાયદો નથી પહોંચાડી શકતી, ભલેને હું તમારો ગમે તેટલો શુભચિંતક કેમ ન હોઉં, જો અલ્લાહની મરજી તમને ભટકાવવાની જ હોય, તે જ તમારા સૌનો રબ છે અને તેના તરફ તમારે પાછા ફરવાનું છે.
(૩૫) શું આ લોકો કહે છે કે તમે જાતે તેને ઘડી કાઢ્યું છે ? તો જવાબ આપો કે, “જો મેં તેને ઘડી કાઢ્યું હોય તો મારો ગુનોહ મારા ઉપર છે અને હું તે ગુનાહોથી અલગ છું જેને તમે કરી રહ્યા છો.” (ع-૩)