Surah Al-Isra

સૂરહ અલ-ઈસ્રા

રૂકૂઅ : ૧૧

આયત ૯૪ થી ૧૦૦

وَ مَا مَنَعَ النَّاسَ اَنْ یُّؤْمِنُوْۤا اِذْ جَآءَهُمُ الْهُدٰۤى اِلَّاۤ اَنْ قَالُوْۤا اَبَعَثَ اللّٰهُ بَشَرًا رَّسُوْلًا (94)

(૯૪) અને લોકોના પાસે હિદાયત પહોંચી ગયા પછી ઈમાનથી રોકવાવાળી ફક્ત આ જ વસ્તુ રહી છે કે તેમણે કહ્યું કે “શું અલ્લાહે એક મનુષ્યને જ રસૂલ બનાવી મોકલ્યા ? ”


قُلْ لَّوْ كَانَ فِی الْاَرْضِ مَلٰٓئِكَةٌ یَّمْشُوْنَ مُطْمَئِنِّیْنَ لَنَزَّلْنَا عَلَیْهِمْ مِّنَ السَّمَآءِ مَلَكًا رَّسُوْلًا (95)

(૯૫) (તમે) કહી દો કે, “જો ધરતી પર ફરિશ્તાઓ હરતા ફરતા અને રહેતા હોત તો અમે પણ તેમના પાસે આકાશમાંથી કોઈ ફરિશ્તાને જ રસૂલ બનાવીને મોકલતા.


قُلْ كَفٰى بِاللّٰهِ شَهِیْدًۢا بَیْنِیْ وَ بَیْنَكُمْ ؕ اِنَّهٗ كَانَ بِعِبَادِهٖ خَبِیْرًۢا بَصِیْرًا (96)

(૯૬) કહી દો કે, “મારા અને તમારા વચ્ચે અલ્લાહની સાક્ષી પૂરતી છે, તે પોતાના બંદાઓથી સારી રીતે માહિતગાર છે અને બધું જ જોઈ રહ્યો છે.”


وَ مَنْ یَّهْدِ اللّٰهُ فَهُوَ الْمُهْتَدِ ۚ وَ مَنْ یُّضْلِلْ فَلَنْ تَجِدَ لَهُمْ اَوْلِیَآءَ مِنْ دُوْنِهٖ ؕ وَ نَحْشُرُهُمْ یَوْمَ الْقِیٰمَةِ عَلٰى وُجُوْهِهِمْ عُمْیًا وَّ بُكْمًا وَّ صُمًّا ؕ مَاْوٰىهُمْ جَهَنَّمُ ؕ كُلَّمَا خَبَتْ زِدْنٰهُمْ سَعِیْرًا (97)

(૯૭) અને અલ્લાહ જેને હિદાયત આપે તે હિદાયત પામી શકે છે અને જેને તે માર્ગ પરથી ભટકાવી દે અશક્ય છે કે તમે તેનો સહાયક તેના સિવાય બીજો મેળવો, આવા લોકોને અમે કયામતના દિવસે ઊંધા મોઢે જમા કરીશું, જ્યારે કે તે લોકો આંધળા, મૂંગા અને બહેરા હશે, તેમનું ઠેકાણું જહન્નમ હશે, જ્યારે પણ તેની આગ હલકી થવા લાગશે, અમે તેમના પર તેને વધારે ભડકાવી દઈશું.


ذٰلِكَ جَزَآؤُهُمْ بِاَنَّهُمْ كَفَرُوْا بِاٰیٰتِنَا وَ قَالُوْۤا ءَاِذَا كُنَّا عِظَامًا وَّ رُفَاتًا ءَاِنَّا لَمَبْعُوْثُوْنَ خَلْقًا جَدِیْدًا (98)

(૯૮) આ બદલો અમારી નિશાનીઓથી ઈન્કાર કરવા અને એ કહેવાના પરિણામે છે કે શું જયારે અમે હાડકા અને કણ-કણ થઈ જઈશું પછી અમને નવેસરથી પેદા કરીને ઊભા કરવામાં આવશે?


اَوَ لَمْ یَرَوْا اَنَّ اللّٰهَ الَّذِیْ خَلَقَ السَّمٰوٰتِ وَ الْاَرْضَ قَادِرٌ عَلٰۤى اَنْ یَّخْلُقَ مِثْلَهُمْ وَ جَعَلَ لَهُمْ اَجَلًا لَّا رَیْبَ فِیْهِ ؕ فَاَبَى الظّٰلِمُوْنَ اِلَّا كُفُوْرًا (99)

(૯૯) શું તેમણે આ વાત પર ધ્યાન નથી આપ્યું કે જે અલ્લાહે આકાશો અને ધરતીને પેદા કર્યા તે તેમના જેવાઓને પેદા કરવાની પૂરી તાકાત રાખે છે ? તેણે જ તેમના માટે એક એવો સમય નિશ્ચિત કરી રાખ્યો છે જે શંકા-કુશંકાથી ખાલી છે, પરંતુ જાલિમ લોકો ઈન્કાર કર્યા વગર રહેતા નથી.


قُلْ لَّوْ اَنْتُمْ تَمْلِكُوْنَ خَزَآئِنَ رَحْمَةِ رَبِّیْۤ اِذًا لَّاَمْسَكْتُمْ خَشْیَةَ الْاِنْفَاقِ ؕ وَ كَانَ الْاِنْسَانُ قَتُوْرًا ۧ (100)

(૧૦૦) કહી દો (જો માની લેવામાં આવે) જો તમે મારા રબના ખજાનાઓના માલિક બની જતાં તો તમે તે વખતે પણ તેના ખર્ચ થઈ જવાના ડરથી તેમાં કંજૂસી કરતા, અને મનુષ્ય છે પણ ખૂબ સંકુચિત મનનો. (ع-૧૧)