સૂરહ અલ-ફાતિહા [1] મક્કામાં નાઝિલ થઈ (ઉતરી) હતી. આ સૂરહમાં સાત (૭) આયત અને એક (૧) રૂકૂઅ છે.
(૧) અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. [2]
[2] {بِسْمِ اللّٰهِ} ના વિશે મતભેદ છે કે આ દરેક સૂરહની આયત છે અથવા દરેક સૂરહની આયતનો હિસ્સો છે.
(૨) તમામ પ્રશંસા અલ્લાહ સમગ્ર સૃષ્ટિના રબ માટે જ છે. [3]
[3] { رَبِّ} 'રબ' અલ્લાહના સારા નામોમાંથી એક નામ છે, જેનો મતલબ છે કે દરેક વસ્તુને પેદા કરીને તેની જરૂરિયાતો પૂરી કરવાવાળો અને તેને પરિપૂર્ણતા સુધી પહોંચાડવાવાળો .
(૩) અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૪) બદલા (ન્યાય) ના દિવસનો માલિક છે.
(૫) અમે તારી જ ઈબાદત(બંદગી) [4] કરીએ છીએ અને તારાથી જ મદદ માંગીએ છીએ.
[4] ઈબાદત (બંદગી)નો મતલબ છે કે કોઈની ખુશી માટે ખૂબજ આજીજી, બેબસી અને વિનય વ્યક્ત કરવા અને ઈબ્ને કસીરના કથન મુજબ ધર્મ એ પૂરી મોહબ્બત, આજીજી અને ડરના સમૂહનું નામ છે, એટલે કે જેના સાથે પ્રેમ પણ હોય અને તેની શક્તિ આગળ લાચારી અને બેબસીની અભિવ્યક્તિ પણ હોય, તથા ખૂલ્લા અને છૂપા કારણોને લીધે તેની પકડનો ડર પણ હોય. સીધું વાક્ય (نعبدك ونستعينك) છે (અમે તારી ઈબાદત કરીએ છીએ અને તારાથી મદદ માંગીએ છીએ.) પરંતુ અહિંયા અલ્લાહે બીજા કારકને ક્રિયાના પહેલા કરી દીધું {اِیَّاكَ نَعْبُدُ وَ اِیَّاكَ نَسْتَعِیْنُ} અને વિશેષતા દર્શાવવાના હેતુથી ફરમાવ્યું, અમે તારી જ ઈબાદત કરીએ છીએ અને તારાથી જ મદદ માંગીએ છીએ. ન ઈબાદત અલ્લાહ સિવાય કોઈની જાઈઝ (માન્ય) છે ના બીજા કોઈથી મદદ માંગવી જાઈઝ (માન્ય) છે. આ શબ્દોથી શિર્ક (અનેકેશ્વરવાદ/બહુદેવવાદ) નો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો.
(૬) અમને સીધો (સત્ય) માર્ગ [5] બતાવ. [6]
[5] {هداية} હિદાયતના ઘણા અર્થ છે. રસ્તો બતાવવો, રસ્તા પર ચલાવી દેવું ,મંજિલ સુધી પહોચાડી દેવું. એને અરબીમાં ઈર્શાદ, તૌફિક, ઈલહામ અને દલાલતથી વિવરણ કરેલ છે એટલે કે અમને સીધો રસ્તો બતાવી દે, તેના પર ચાલવાની તૌફિક (સદ્બુદ્ધિ) આપ, તેની પર મજબૂત કરી દે જેથી અમને તારી ખુશી પ્રાપ્ત થઈ જાય. આ સીધો રસ્તો ફક્ત બુદ્ધિથી પ્રાપ્ત થઈ શકતો નથી. આ સીધો રસ્તો એ જ 'ઈસ્લામ' છે જેને નબી (ﷺ) એ દુનિયાની સમક્ષ રજૂ કર્યો અને હવે તે કુરઆન અને સહીહ હદીસમાં સુરક્ષિત છે.
[6] આ (صراط مستقيم)ની વ્યાખ્યા છે કે સીધો રસ્તો તે છે જેના પર તે લોકો ચાલ્યા જેમના ઉપર તારી કૃપા (નેઅમત) થઈ. આ (منعم عليه) ગિરોહ અમ્બીયા, શહીદો, સિદીકો અને નેક લોકોનો છે.
(૭) એ લોકોનો માર્ગ જેમના ઉપર તે કૃપા કરી એમનો નહીં જેમના ઉપર તારો પ્રકોપ થયો અને ન પદભ્રષ્ટોના.[7]
[7] કેટલીક હદીસોથી સાબિત છે કે (مغضوب عليهم) (જેમના ઉપર અલ્લાહનો પ્રકોપ થયો) થી આશય યહૂદી છે અને (ضالين) (પથભ્રષ્ટ) થી આશય નસારા (ઈસાઈ) છે.
સૂરઃ ફાતિહાના અંતમાં આમીન (آمين) કહેવા પર નબી (ﷺ ) એ ખૂબજ ભાર મૂક્યો છે અને તેની શ્રેષ્ઠતા (ફઝીલત) પણ વર્ણવી છે, એટલા માટે ઈમામ અને મુકતદી બંને એ આમીન (آمين) કહેવી જોઈએ.