Surah An-Nisa

સૂરહ અન્ નિસા

રૂકૂઅ : ૧૫

આયત ૧૦૧ થી ૧૦૪


وَ اِذَا ضَرَبْتُمْ فِی الْاَرْضِ فَلَیْسَ عَلَیْكُمْ جُنَاحٌ اَنْ تَقْصُرُوْا مِنَ الصَّلٰوةِ ۖۗ اِنْ خِفْتُمْ اَنْ یَّفْتِنَكُمُ الَّذِیْنَ كَفَرُوْا ؕ اِنَّ الْكٰفِرِیْنَ كَانُوْا لَكُمْ عَدُوًّا مُّبِیْنًا (101)

(૧૦૧) અને જ્યારે ધરતી પર મુસાફરી કરો તો તમારા પર નમાઝ કસર કરવામાં (ચાર રકઅતની નમાઝ બે રકઅત પઢવામાં) કોઈ બુરાઈ નથી. જો તમને એવો ડર હોય કે કાફિરો તમને તકલીફ આપશે, બેશક કાફિરો તમારા ખુલ્લા દુશ્મન છે.


وَ اِذَا كُنْتَ فِیْهِمْ فَاَقَمْتَ لَهُمُ الصَّلٰوةَ فَلْتَقُمْ طَآئِفَةٌ مِّنْهُمْ مَّعَكَ وَ لْیَاْخُذُوْۤا اَسْلِحَتَهُمْ {قف} فَاِذَا سَجَدُوْا فَلْیَكُوْنُوْا مِنْ وَّرَآئِكُمْ {ص} وَ لْتَاْتِ طَآئِفَةٌ اُخْرٰى لَمْ یُصَلُّوْا فَلْیُصَلُّوْا مَعَكَ وَ لْیَاْخُذُوْا حِذْرَهُمْ وَ اَسْلِحَتَهُمْ ۚ وَدَّ الَّذِیْنَ كَفَرُوْا لَوْ تَغْفُلُوْنَ عَنْ اَسْلِحَتِكُمْ وَ اَمْتِعَتِكُمْ فَیَمِیْلُوْنَ عَلَیْكُمْ مَّیْلَةً وَّاحِدَةً ؕ وَ لَا جُنَاحَ عَلَیْكُمْ اِنْ كَانَ بِكُمْ اَذًى مِّنْ مَّطَرٍ اَوْ كُنْتُمْ مَّرْضٰۤى اَنْ تَضَعُوْۤا اَسْلِحَتَكُمْ ۚ وَ خُذُوْا حِذْرَكُمْ ؕ اِنَّ اللّٰهَ اَعَدَّ لِلْكٰفِرِیْنَ عَذَابًا مُّهِیْنًا (102)

(૧૦૨) અને જ્યારે તમે તેમનામાં હોવ અને તેમના માટે નમાઝ કાયમ કરો તો જોઈએ કે તેમનું એક જૂથ તમારા સાથે હથિયાર લઈને ઊભું હોય, પછી જ્યારે તેઓ સિજદો કરી ચૂકે તો તેઓ હટીને તમારા પાછળ આવી જાય અને બીજુ જૂથ જેણે નમાઝ નથી પઢી તેઓ આવી જાય, અને તમારા સાથે નમાઝ પઢે અને પોતાનો બચાવ અને પોતાના હથિયાર સાથે રાખે, કાફિરો ચાહે છે કે તમે કોઈ રીતે પોતાના હથિયાર અને પોતાના સામાનોથી બેખબર થઈ જાવ, તો તેઓ તમારા પર અચાનક હૂમલો કરી દે. અને હા, પોતાના હથિયાર ઉતારીને રાખવામાં તે સમયે તમારા પર કોઈ બૂરાઈ નથી જ્યારે કે તમે તકલીફમાં હોવ, અથવા વરસાદના કારણે અથવા બીમાર હોવાનું કારણ હોય, અને પોતાના બચાવનો સામાન સાથે લઈ રાખો. બેશક અલ્લાહ (તઆલા)એ ઈન્કાર કરવાવાળાઓ માટે અપમાનજનક અઝાબ તૈયાર કરી રાખ્યો છે.


فَاِذَا قَضَیْتُمُ الصَّلٰوةَ فَاذْكُرُوا اللّٰهَ قِیٰمًا وَّ قُعُوْدًا وَّ عَلٰى جُنُوْبِكُمْ ۚ فَاِذَا اطْمَاْنَنْتُمْ فَاَقِیْمُوا الصَّلٰوةَ ۚ اِنَّ الصَّلٰوةَ كَانَتْ عَلَى الْمُؤْمِنِیْنَ كِتٰبًا مَّوْقُوْتًا ۧ (103)

(૧૦૩) પછી જયારે તમે નમાઝ પઢી લો તો ઊભા રહીને, બેસીને અને સૂતાં સૂતાં અલ્લાહ (તઆલા)નો ઝિક્ર કરતા રહો અને શાંતિ પ્રાપ્ત થાય તો નમાઝ કાયમ કરો, બેશક નમાઝ મુસલમાનો ૫૨ નિશ્ચિત અને નિર્ધારિત સમય પર ફર્ઝ(અનિવાર્ય) કરવામાં આવી છે.


وَ لَا تَهِنُوْا فِی ابْتِغَآءِ الْقَوْمِ ؕ اِنْ تَكُوْنُوْا تَاْلَمُوْنَ فَاِنَّهُمْ یَاْلَمُوْنَ كَمَا تَاْلَمُوْنَ ۚ وَ تَرْجُوْنَ مِنَ اللّٰهِ مَا لَا یَرْجُوْنَ ؕ وَ كَانَ اللّٰهُ عَلِیْمًا حَكِیْمًا۠ (104)

(૧૦૪) અને તે લોકોનો પીછો કરવામાં આળસ ન કરો, જો તમને તકલીફ થાય છે તો તેઓને પણ તકલીફ થાય છે જેવી તમને થાય છે, અને તમે અલ્લાહથી તે આશાઓ રાખો છો જે તેઓને નથી, અને અલ્લાહ (તઆલા) જાણવાવાળો અને હિક્મતવાળો છે. (ع-૧)