(૧૦૧) અને જ્યારે ધરતી પર મુસાફરી કરો તો તમારા પર નમાઝ કસર કરવામાં (ચાર રકઅતની નમાઝ બે રકઅત પઢવામાં) કોઈ બુરાઈ નથી. જો તમને એવો ડર હોય કે કાફિરો તમને તકલીફ આપશે,[72] બેશક કાફિરો તમારા ખુલ્લા દુશ્મન છે.
(૧૦૨) અને જ્યારે તમે તેમનામાં હોવ અને તેમના માટે નમાઝ કાયમ કરો તો જોઈએ કે તેમનું એક જૂથ તમારા સાથે હથિયાર લઈને ઊભું હોય, પછી જ્યારે તેઓ સિજદો કરી ચૂકે તો તેઓ હટીને તમારા પાછળ આવી જાય અને બીજુ જૂથ જેણે નમાઝ નથી પઢી તેઓ આવી જાય, અને તમારા સાથે નમાઝ પઢે અને પોતાનો બચાવ અને પોતાના હથિયાર સાથે રાખે, કાફિરો ચાહે છે કે તમે કોઈ રીતે પોતાના હથિયાર અને પોતાના સામાનોથી બેખબર થઈ જાવ, તો તેઓ તમારા પર અચાનક હૂમલો કરી દે.[73] અને હા, પોતાના હથિયાર ઉતારીને રાખવામાં તે સમયે તમારા પર કોઈ બૂરાઈ નથી જ્યારે કે તમે તકલીફમાં હોવ, અથવા વરસાદના કારણે અથવા બીમાર હોવાનું કારણ હોય, અને પોતાના બચાવનો સામાન સાથે લઈ રાખો. બેશક અલ્લાહ (તઆલા)એ ઈન્કાર કરવાવાળાઓ માટે અપમાનજનક અઝાબ તૈયાર કરી રાખ્યો છે.
(૧૦૩) પછી જયારે તમે નમાઝ પઢી લો તો ઊભા રહીને, બેસીને અને સૂતાં સૂતાં અલ્લાહ (તઆલા)નો ઝિક્ર કરતા રહો[74] અને શાંતિ પ્રાપ્ત થાય તો નમાઝ કાયમ કરો,[75] બેશક નમાઝ મુસલમાનો પર નિશ્ચિત અને નિર્ધારિત સમય પર ફર્ઝ(અનિવાર્ય)[76] કરવામાં આવી છે.
(૧૦૪) અને તે લોકોનો પીછો કરવામાં આળસ ન કરો, જો તમને તકલીફ થાય છે તો તેઓને પણ તકલીફ થાય છે જેવી તમને થાય છે, અને તમે અલ્લાહથી તે આશાઓ રાખો છો જે તેઓને નથી, અને અલ્લાહ (તઆલા) જાણવાવાળો અને હિક્મતવાળો છે.(ع-૧૫)