Surah Al-Jumu'ah

સૂરહ લ-જુમુઆ

રૂકૂ : ૧

આયત ૧ થી

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

یُسَبِّحُ لِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الْاَرْضِ الْمَلِكِ الْقُدُّوْسِ الْعَزِیْزِ الْحَكِیْمِ (1)

(૧) આકાશો અને ધરતીની દરેક વસ્તુઓ અલ્લાહ (તઆલા)ની તસ્બીહ (પવિત્રતાનું) વર્ણન કરે છે, જે બાદશાહ છે અને અત્યંત પવિત્ર (છે), પ્રભુત્વશાળી અને હિકમતવાળો છે.


هُوَ الَّذِیْ بَعَثَ فِی الْاُمِّیّٖنَ رَسُوْلًا مِّنْهُمْ یَتْلُوْا عَلَیْهِمْ اٰیٰتِهٖ وَ یُزَكِّیْهِمْ وَ یُعَلِّمُهُمُ الْكِتٰبَ وَ الْحِكْمَةَ {ق} وَ اِنْ كَانُوْا مِنْ قَبْلُ لَفِیْ ضَلٰلٍ مُّبِیْنٍ ۙ (2)

(૨) તે જ છે જેણે અભણ લોકોમાં તેમનામાંથી જ એક રસૂલ મોકલ્યા, જે તેમને તેની આયતો વાંચીને સંભળાવે છે અને તેમને પવિત્ર કરે છે અને તેમને કિતાબ અને જ્ઞાન (હિકમત) શીખવાડે છે, બેશક આ લોકો આનાથી પહેલા સ્પષ્ટ ભટકાવમાં હતા.


وَّ اٰخَرِیْنَ مِنْهُمْ لَمَّا یَلْحَقُوْا بِهِمْ ؕ وَ هُوَ الْعَزِیْزُ الْحَكِیْمُ (3)

(૩) અને બીજા લોકો માટે પણ જેઓ હજુ સુધી તેમને મળ્યા નથી, અને તે જ પ્રભુત્વશાળી (અને) હિકમતવાળો છે.


ذٰلِكَ فَضْلُ اللّٰهِ یُؤْتِیْهِ مَنْ یَّشَآءُ ؕ وَ اللّٰهُ ذُو الْفَضْلِ الْعَظِیْمِ (4)

(૪) આ અલ્લાહની કૃપા (ફજલ) છે જેને ચાહે પોતાની કૃપા પ્રદાન કરે અને અલ્લાહ (તઆલા) મોટો કૃપાળુ (ફજલવાળો) છે.


مَثَلُ الَّذِیْنَ حُمِّلُوا التَّوْرٰىةَ ثُمَّ لَمْ یَحْمِلُوْهَا كَمَثَلِ الْحِمَارِ یَحْمِلُ اَسْفَارًا ؕ بِئْسَ مَثَلُ الْقَوْمِ الَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِ اللّٰهِ ؕ وَ اللّٰهُ لَا یَهْدِی الْقَوْمَ الظّٰلِمِیْنَ (5)

(૫) જે લોકોને તૌરાતના (પ્રમાણે) કામ કરવાનો હુકમ થયો, પછી તેમણે તેના ઉપર કામ ન કર્યું, તેમનું ઉદાહરણ તે ગધેડા જેવું છે જે ઘણી કિતાબોનો બોજ ઉપાડી રહ્યો હોય, અલ્લાહની વાતોને જૂઠાડનારાઓનું બહુ જ ખરાબ ઉદાહરણ છે, અને અલ્લાહ એવા જાલિમોને માર્ગદર્શન (હિદાયત) નથી આપતો.


قُلْ یٰۤاَیُّهَا الَّذِیْنَ هَادُوْۤا اِنْ زَعَمْتُمْ اَنَّكُمْ اَوْلِیَآءُ لِلّٰهِ مِنْ دُوْنِ النَّاسِ فَتَمَنَّوُا الْمَوْتَ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ (6)

(૬) કહી દો કે હે યહુદીઓ! જો તમારો એ દાવો છે કે તમે અલ્લાહના દોસ્ત છો બીજા લોકોના સિવાય, તો તમે મોતની ઈચ્છા વ્યક્ત કરો જો તમે સાચા છો.



وَ لَا یَتَمَنَّوْنَهٗۤ اَبَدًۢا بِمَا قَدَّمَتْ اَیْدِیْهِمْ ؕ وَ اللّٰهُ عَلِیْمٌۢ بِالظّٰلِمِیْنَ (7)

(૭) તેઓ મોતની ઈચ્છા ક્યારેય નહીં કરે, તે કર્મોના કારણે જે પોતાના હાથોથી પોતાના પહેલા મોકલી ચૂક્યા છે, અને અલ્લાહ (તઆલા) જાલિમોને સારી રીતે જાણે છે.


قُلْ اِنَّ الْمَوْتَ الَّذِیْ تَفِرُّوْنَ مِنْهُ فَاِنَّهٗ مُلٰقِیْكُمْ ثُمَّ تُرَدُّوْنَ اِلٰى عٰلِمِ الْغَیْبِ وَ الشَّهَادَةِ فَیُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ ۧ (8)

(૮) કહી દો કે જે મોતથી તમે ભાગી રહ્યા છો તે તો તમારા સુધી જરૂર પહોંચશે, પછી તમે બધી છૂપી અને જાહેર વાતોના જાણવાવાળા (અલ્લાહ)ના તરફ પાછા ફરશો અને પછી તે તમને તમારા કરેલા બધા કર્મોને બતાવી દેશે. (ع-)