Surah As-Saf
સૂરહ અસ્-સફ્ફ
સૂરહ અસ્-સફ્ફ
સૂરહ અસ્-સફ્ફ (૬૧)
પદ / હોદ્દો
સૂરહ અસ્-સફ્ફ મદીનામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં ચૌદ (૧૪) આયતો અને બે (૨) રૂકૂઅ છે.
આ સૂરહના અવતરણનું કારણ એ છે કે કેટલાક સહાબા (નબીના સહચર) પરસ્પર વાતો કરી રહ્યા હતા કે અલ્લાહને જે કર્મ સૌથી વધારે પસંદ હોય તે રસૂલુલ્લાહ (સ.અ.) ને પૂછવો જોઈએ જેથી તેના અનુસાર કર્મ કરી શકાય, પરંતુ આપના પાસે આવીને પૂછવાની હિમ્મત કોઈ કરી રહ્યું ન હતું. આના પર અલ્લાહે આ સૂરહ ઉતારી.
(મુસનદ અહમદ-5/452, તિર્મિજી તફસીર સુરતુસ્સફફ)