Surah An-Nasr
સૂરહ અન્-નસ્ર
સૂરહ અન્-નસ્ર
સૂરહ અન્-નસ્ર (૧૧૦)
પવિત્ર / દૈવી આધાર
સૂરહ અન્-નસ્ર[1] મદીનામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં ત્રણ (૩) આયતો અને એક (૧) રૂકૂઅ છે.
સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) જ્યારે અલ્લાહની મદદ આવી જાય અને વિજય પ્રાપ્ત થઈ જાય.
(૨) અને તમે લોકોને અલ્લાહના ધર્મ તરફ ટોળે-ટોળાં પ્રવેશતા જોઈલો.[2]
(૩) તો તમે પોતાના રબની પ્રશંસા સાથે તસ્બીહ કરો, અને તેનાથી માફીની દુઆ કરો, બેશક તે માફ કરવાવાળો છે. (ع-૧)