Surah Al-A'raf

સૂરહ અલ અ્રાફ

રૂકૂઅ : ૫

આયત ૪૦ થી ૪૭

اِنَّ الَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِنَا وَ اسْتَكْبَرُوْا عَنْهَا لَا تُفَتَّحُ لَهُمْ اَبْوَابُ السَّمَآءِ وَ لَا یَدْخُلُوْنَ الْجَنَّةَ حَتّٰى یَلِجَ الْجَمَلُ فِیْ سَمِّ الْخِیَاطِ ؕ وَ كَذٰلِكَ نَجْزِی الْمُجْرِمِیْنَ (40)

(૪૦) બેશક જે લોકોએ અમારી આયતોને જૂઠાડી અને તેનાથી ઘમંડ કર્યો તેમના માટે આકાશના દરવાજા ખોલવામાં નહિ આવે, અને તેઓ જન્નતમાં દાખલ નહિં થઈ શકે જ્યાં સુધી ઊંટ સોયના નાકામાંથી પસાર ન થઈ જાય અને અમે ગુનેહગારોને આ પ્રમાણે બદલો આપીએ છીએ.


لَهُمْ مِّنْ جَهَنَّمَ مِهَادٌ وَّ مِنْ فَوْقِهِمْ غَوَاشٍ ؕ وَ كَذٰلِكَ نَجْزِی الظّٰلِمِیْنَ (41)

(૪૧) તેમના માટે જહન્નમની આગનું પાથરણું હશે અને તેમના ઉપર તેનું જ ઓઢવાનું હશે અને અમે જાલિમોને આવી જ સજા આપીએ છીએ.


وَ الَّذِیْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ لَا نُكَلِّفُ نَفْسًا اِلَّا وُسْعَهَاۤ {ز} اُولٰٓئِكَ اَصْحٰبُ الْجَنَّةِ ۚ هُمْ فِیْهَا خٰلِدُوْنَ (42)

(૪૨) અને જે લોકો ઈમાન લાવ્યા અને નેક કામો કર્યા, અમે કોઈ જીવને તેની તાકાત મુજબ જ જવાબદેહ બનાવીએ છીએ, તેઓ જ જન્નતી છે જયાં તેઓ હંમેશા રહેશે.



وَ نَزَعْنَا مَا فِیْ صُدُوْرِهِمْ مِّنْ غِلٍّ تَجْرِیْ مِنْ تَحْتِهِمُ الْاَنْهٰرُ ۚ وَ قَالُوا الْحَمْدُ لِلّٰهِ الَّذِیْ هَدٰىنَا لِهٰذَا {قف} وَ مَا كُنَّا لِنَهْتَدِیَ لَوْ لَاۤ اَنْ هَدٰىنَا اللّٰهُ ۚ لَقَدْ جَآءَتْ رُسُلُ رَبِّنَا بِالْحَقِّ ؕ وَ نُوْدُوْۤا اَنْ تِلْكُمُ الْجَنَّةُ اُوْرِثْتُمُوْهَا بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ (43)

(૪૩) અને અમે તેમના દિલોના કપટને દૂર કરી દઈશું, તેમના નીચે નદીઓ વહેતી હશે અને તેઓ કહેશે, “સર્વ વખાણ અલ્લાહના માટે છે જેણે અમને તેના માર્ગ પર લગાવ્યા, જો તે હિદાયત ન આપતો તો અમે પોતે માર્ગ પામી ન શકતા, ખરેખર અમારા રબના રસૂલ સત્ય સાથે આવ્યા અને તેમને પોકારીને કહેવામાં આવશે કે, “પોતાના કર્મોના બદલામાં તમને આ જન્નતના હકદાર બનાવી દેવામાં આવ્યા.”


وَ نَادٰۤى اَصْحٰبُ الْجَنَّةِ اَصْحٰبَ النَّارِ اَنْ قَدْ وَجَدْنَا مَا وَعَدَنَا رَبُّنَا حَقًّا فَهَلْ وَجَدْتُّمْ مَّا وَعَدَ رَبُّكُمْ حَقًّا ؕ قَالُوْا نَعَمْ ۚ فَاَذَّنَ مُؤَذِّنٌۢ بَیْنَهُمْ اَنْ لَّعْنَةُ اللّٰهِ عَلَى الظّٰلِمِیْنَۙ (44)

(૪૪) અને જન્નતવાસીઓ જહન્નમવાસીઓને પોકારશે કે અમે અમારા રબના વાયદાઓને જે અમારા સાથે કર્યા હતા સાચા જોયા, તો શું તમારા સાથે તમારા રબે જે વાયદાઓ કર્યા હતા તેને સાચા જોયા ? તેઓ કહેશે, “હા”, પછી એક પોકારનાર તેમના વચ્ચે પોકારશે કે, “અલ્લાહની લા'નત (ધિક્કાર) જાલિમો પર છે.



الَّذِیْنَ یَصُدُّوْنَ عَنْ سَبِیْلِ اللّٰهِ وَ یَبْغُوْنَهَا عِوَجًا ۚ وَ هُمْ بِالْاٰخِرَةِ كٰفِرُوْنَۘ (45)

(૪૫) જેઓ પોતાના રબના માર્ગથી રોકવા અને તેને વાંકો કરવા ચાહેછે અને તેઓ આખિરતનો પણ ઈન્કાર કરે છે.”



وَ بَیْنَهُمَا حِجَابٌ ۚ وَ عَلَى الْاَعْرَافِ رِجَالٌ یَّعْرِفُوْنَ كُلًّۢا بِسِیْمٰىهُمْ ۚ وَ نَادَوْا اَصْحٰبَ الْجَنَّةِ اَنْ سَلٰمٌ عَلَیْكُمْ {قف} لَمْ یَدْخُلُوْهَا وَ هُمْ یَطْمَعُوْنَ (46)

(૪૬ ) અને તે બંને વચ્ચે એક પડદો હશે! અને “અઅ્.રાફ” પર કેટલાક પુરૂષો હશે જે દરેકને તેમની નિશાનીઓ પરથી ઓળખી લેશે, અને જન્નતીઓને પોકારશે કે, “તમારા ઉપર સલામતી થાય.” તેઓ તેમાં (જન્નતમાં) દાખલ નહિં થઈ શક્યા હોય પરંતુ તેના ઉમ્મીદવાર હશે.



وَ اِذَا صُرِفَتْ اَبْصَارُهُمْ تِلْقَآءَ اَصْحٰبِ النَّارِ ۙ قَالُوْا رَبَّنَا لَا تَجْعَلْنَا مَعَ الْقَوْمِ الظّٰلِمِیْنَ ۧ (47)

(૪૭) અને જ્યારે તેમની આંખો જહન્નમવાસીઓ ઉપર પડશે (ત્યારે) કહેશે કે, “અમારા રબ! અમને જાલિમોના સાથે ન કરીશ.” (ع-)