Surah Al-Mu'min

સૂરહ અલ-મુ'મિન

રૂકૂ : ૨

આયત ૧૦ થી ૨૦

اِنَّ الَّذِیْنَ كَفَرُوْا یُنَادَوْنَ لَمَقْتُ اللّٰهِ اَكْبَرُ مِنْ مَّقْتِكُمْ اَنْفُسَكُمْ اِذْ تُدْعَوْنَ اِلَى الْاِیْمَانِ فَتَكْفُرُوْنَ (10)

(૧૦) બેશક જે લોકોએ કુફ્ર કર્યુ તેમને પોકારીને કહેવામાં આવશે કે, ચોક્કસ અલ્લાહનું તમારા ઉપર નારાજ થવું તેનાથી ઘણું વધારે છે, જે તમે (પોતાના મનથી) નારાજ થતા હતા, જ્યારે તમને ઈમાન તરફ બોલાવવામાં આવતા હતા. પછી તમે ઈન્કાર કરતા હતા.

قَالُوْا رَبَّنَاۤ اَمَتَّنَا اثْنَتَیْنِ وَ اَحْیَیْتَنَا اثْنَتَیْنِ فَاعْتَرَفْنَا بِذُنُوْبِنَا فَهَلْ اِلٰى خُرُوْجٍ مِّنْ سَبِیْلٍ (11)

(૧૧) (તેઓ) કહેશે કે, “હે અમારા રબ! તેં અમને બે વખત માર્યા અને બે વખત જીવતા કર્યા, હવે અમે અમારા ગુનાહોને કબૂલ કરીએ છીએ, તો શું હવે અહીંથી નીકળવાનો કોઈ માર્ગ પણ છે ?”


ذٰلِكُمْ بِاَنَّهٗۤ اِذَا دُعِیَ اللّٰهُ وَحْدَهٗ كَفَرْتُمْ ۚ وَ اِنْ یُّشْرَكْ بِهٖ تُؤْمِنُوْا ؕ فَالْحُكْمُ لِلّٰهِ الْعَلِیِّ الْكَبِیْرِ (12)

(૧૨) આ (અઝાબ) તમને એટલા માટે છે કે જયારે ફક્ત એક અલ્લાહ તરફ બોલાવવામાં આવતા તો તમે ઈન્કાર કરી દેતા હતા, અને જો તેના સાથે કોઈને સામેલ કરી લેવામાં આવતા તો તમે માની લેતા હતા, તો હવે ફેંસલો અલ્લાહ સર્વોચ્ચ અને મહાનનો જ છે.


هُوَ الَّذِیْ یُرِیْكُمْ اٰیٰتِهٖ وَ یُنَزِّلُ لَكُمْ مِّنَ السَّمَآءِ رِزْقًا ؕ وَ مَا یَتَذَكَّرُ اِلَّا مَنْ یُّنِیْبُ (13)

(૧૩) તે જ છે જે તમને પોતાની નિશાનીઓ દેખાડે છે અને તમારા માટે આકાશમાંથી રોજી ઉતારે છે. નસીહત તો તે જ પ્રાપ્ત કરે છે જે (અલ્લાહ તરફ) વળનાર હોય.


فَادْعُوا اللّٰهَ مُخْلِصِیْنَ لَهُ الدِّیْنَ وَ لَوْ كَرِهَ الْكٰفِرُوْنَ (14)

(૧૪) તમે અલ્લાહને જ પોકારતા રહો તેના માટે ધર્મને વિશિષ્ટ કરીને, ભલેને કાફિરોને ખરાબ લાગે.


رَفِیْعُ الدَّرَجٰتِ ذُو الْعَرْشِ ۚ یُلْقِی الرُّوْحَ مِنْ اَمْرِهٖ عَلٰى مَنْ یَّشَآءُ مِنْ عِبَادِهٖ لِیُنْذِرَ یَوْمَ التَّلَاقِ ۙ (15)

(૧૫) ઉચ્ચ દરજ્જાવાળો, અર્શનો માલિક! તે પોતાના બંદાઓમાંથી જેના ઉપર ચાહે પોતાની આજ્ઞાથી રૂહ અવતરિત કરે છે, જેથી તે મુલાકાતના દિવસથી ડરાવે.


یَوْمَ هُمْ بٰرِزُوْنَ { ۚ٥} لَا یَخْفٰى عَلَى اللّٰهِ مِنْهُمْ شَیْءٌ ؕ لِمَنِ الْمُلْكُ الْیَوْمَ ؕ لِلّٰهِ الْوَاحِدِ الْقَهَّارِ (16)

(૧૬) તે દિવસે (બધા) લોકો જાહેર થઈ જશે, તેમની કોઈ વસ્તુ અલ્લાહથી છુપી નહિ રહે, આજે રાજય કોનું છે ? ફક્ત એક અલ્લાહ પ્રભુત્વશાળીનું.


اَلْیَوْمَ تُجْزٰى كُلُّ نَفْسٍۭ بِمَا كَسَبَتْ ؕ لَا ظُلْمَ الْیَوْمَ ؕ اِنَّ اللّٰهَ سَرِیْعُ الْحِسَابِ (17)

(૧૭) આજે દરેક જીવને તેમના કર્મોનું ફળ આપવામાં આવશે, આજે (કોઈ પ્રકારનો) જુલમ નથી, બેશક અલ્લાહ (તઆલા) જલ્દી હિસાબ લેનાર છે.


وَ اَنْذِرْهُمْ یَوْمَ الْاٰزِفَةِ اِذِ الْقُلُوْبُ لَدَى الْحَنَاجِرِ كٰظِمِیْنَ { ؕ٥} مَا لِلظّٰلِمِیْنَ مِنْ حَمِیْمٍ وَّ لَا شَفِیْعٍ یُّطَاعُ ؕ (18)

(૧૮) અને તેમને ખૂબ નજીક આવનારી (કયામત)થી આગાહ કરી દો જ્યારે કાળજા બહાર આવી રહ્યા હશે અને બધા શાંત હશે, જાલિમોનો ન કોઈ વલી (દોસ્ત) હશે, ન કોઈ ભલામણ કરનાર કે જેની વાત માનવામાં આવે.


یَعْلَمُ خَآئِنَةَ الْاَعْیُنِ وَ مَا تُخْفِی الصُّدُوْرُ (19)

(૧૯) તે આંખોની બેઈમાનીને અને દિલોમાં છૂપાયેલી વાતોને (સારી રીતે) જાણે છે.


وَ اللّٰهُ یَقْضِیْ بِالْحَقِّ ؕ وَ الَّذِیْنَ یَدْعُوْنَ مِنْ دُوْنِهٖ لَا یَقْضُوْنَ بِشَیْءٍ ؕ اِنَّ اللّٰهَ هُوَ السَّمِیْعُ الْبَصِیْرُ ۧ (20)

(૨૦) અને અલ્લાહ (તઆલા) યોગ્ય ફેંસલો કરી દેશે અને તેના સિવાય જેમને આ લોકો પોકારે છે તેઓ કોઈપણ વસ્તુનો પણ ફેંસલો કરી શકતા નથી, બેશક અલ્લાહ (તઆલા) સારી રીતે સાંભળનાર અને જોનાર છે. (ع-)