(૭૫) મરયમના પુત્ર મસીહ ફક્ત્ત પયગંબર હોવાના સિવાય કશું જ નથી, આના પહેલા પણ ઘણા પયગંબરો થઈ ચૂક્યા છે, તેમની માતા એક પવિત્ર અને સાચી સ્ત્રી હતી, બંને (માતા-પુત્ર) ભોજન કરતા હતા. તમે જુઓ અમે કેવી રીતે નિશાનીઓને તેમના સામે રજૂ કરીએ છીએ, પછી વિચાર કરો કે તેઓ કેવી રીતે પલટાવવામાં આવે છે.