(૨૧) અને જેમને અમને મળવાની આશા ન હતી તેમણે કહ્યું કે, “અમારા ઉપર ફરિશ્તાઓ કેમ નથી ઉતારવામાં આવતા ? અથવા અમે (પોતાની આંખોથી) પોતાના રબને જોઈ લેતા ? ” આ લોકોએ પોતે પોતાને ખૂબ મોટા સમજી લીધા છે અને ઘણી નાફરમાની કરી લીધી છે.
(૨૨) જે દિવસે આ લોકો ફરિશ્તાઓને જોઈ લેશે તે દિવસે આ ગુનેહગારોને કોઈ ખુશી નહિ હોય,[1] અને કહેશે કે તેઓ વંચિત કરી દેવામાં આવ્યા.
(૨૩) અને તેમણે જે કર્મો કર્યા હતા, અમે તેના તરફ આગળ આવીને તેને ધૂળની જેમ ઊડાવી દઈશું.
(૨૪) (પરંતુ) તે દિવસે જન્નતમાં રહેનારાઓની જગ્યા ઘણી સારી હશે અને આરામગૃહ પણ ઉત્તમ હશે.[1]
(૨૫) અને આકાશ જે દિવસે વાદળ સાથે ફાટી જશે અને ફરિશ્તાઓ લગાતાર ઉતરી આવશે.
(૨૬) તે દિવસે વાસ્તવિક રાજય ફક્ત રહમાનનું જ હશે અને આ દિવસ કાફિરો માટે ઘણો સખત હશે.
(૨૭) અને તે દિવસે જાલિમો પોતાના હાથોને કરડી-કરડી ખાશે અને કહેશે કે, “કાશ ! કેટલુ સારૂ હોત જો મેં રસૂલનો માર્ગ અપનાવ્યો હોત.
(૨૮) હાય અફસોસ! કે મેં ફલાણાને મિત્ર ન બનાવ્યો હોત.[1]
(૨૯) તેણે તો મને તેના પછી ભટકાવી દીધો કે નસીહત મારા પાસે આવી ચૂકી હતી અને શેતાન તો મનુષ્યને (સમય પર) ધોખો આપવાવાળો છે.”
(૩૦) અને રસૂલ કહેશે કે, “હે મારા રબ! બેશક મારી કોમે આ કુરઆન છોડી દીધુ હતું.”
(૩૧) અને અમે આ રીતે પ્રત્યેક નબીના દુશ્મન કેટલાક ગુનેહગારોને બનાવી દીધા છે, અને તમારો રબ જ હિદાયત આપવા માટે અને મદદ કરવા માટે પૂરતો છે.
(૩૨) અને કાફિરોએ કહ્યું કે, “તેના પર સમગ્ર કુરઆન એક સાથે જ કેમ ઉતારવામાં ન આવ્યું ?” આ રીતે (અમે થોડું થોડું કરીને ઉતાર્યુ) જેથી આના વડે અમે તમારા દિલને મજબૂતી પ્રદાન કરીએ, અને અમે તેને થોભી-થોભીને પઢીને સંભળાવ્યુ છે.
(૩૩) અને આ લોકો તમારા પાસે જે કોઈ પણ દષ્ટાંત લઈને આવશે અમે તેનો સાચો જવાબ અને યોગ્ય વ્યાખ્યા બતાવી દઈશું.[1]
(૩૪) જે લોકોને તેમના ઊંધા મોઢે જહન્નમ તરફ ધકેલવામાં આવશે, તેઓ ખરાબ જગ્યાવાળા અને ભટકેલા માર્ગવાળા છે. (ع-૩)