(૪૭) અને આકાશોને અમે (પોતાના) હાથોથી બનાવ્યા. અને બેશક અમે ફેલાવનારા છીએ.
(૪૮) અને ધરતીને અમે જ પાથરણું બનાવી દીધી છે[1] તો અમે કેવા સરસ પાથરનારા છીએ.
(૪૯) અને દરેક વસ્તુને અમે જોડામાં પેદા કરી છે,[1] જેથી તમે નસીહત પ્રાપ્ત કરો.
(૫૦) તો તમે અલ્લાહની (તૌહીદ) તરફ જ દોડો. બેશક હું તમને તેના તરફથી સ્પષ્ટ રીતે ડરાવનાર (રસુલ) છું.
(૫૧) અને અલ્લાહ સાથે બીજા કોઈને મા'બૂદ (ઉપાસ્ય) ન બનાવો. બેશક હું તમને તેના તરફથી સ્પષ્ટ ડરાવનાર (રસુલ) છું.
(૫૨) એવી જ રીતે આમનાથી પહેલાના લોકો જે પસાર થઈ ગયા છે તેમના પાસે જે પણ રસુલ આવ્યા તો તેમણે (કાફિરોએ) કહ્યું કે, “કાંતો આ જાદૂગર છે અથવા દીવાનો છે.”
(૫૩) શું આ જ વાતની તેઓ પરસ્પર વસીયત કરી ગયા છે ? નહીં, પરંતુ આ બધા જ લોકો વિદ્રોહી છે.
(૫૪) માટે તમે તેમનાથી મોઢું ફેરવી લો, તમારા પર કોઈ આરોપ નથી.
(૫૫) અને ઉપદેશ આપ્યા કરો, બેશક ઉપદેશ ઈમાનવાળાઓને ફાયદો જ આપે છે.[1]
(૫૬) મેં જીન્નાતો અને મનુષ્યોને ફક્ત એટલા માટે પેદા કર્યા કે તેઓ ફક્ત મારી જ બંદગી કરે.[1]
(૫૭) ન હું તેમના પાસે રોજી માંગુ છું અને ન એ ઈચ્છું છું કે તેઓ મને ખવડાવે.
(૫૮) ચોક્કસ અલ્લાહ (તઆલા) તો પોતે જ રોજી આપવાવાળો શક્તિશાળી અને બળવાન છે.
(૫૯) તો જે લોકોએ જુલમ કર્યા છે તેમને પણ તેમના સાથીઓ જેટલો જ બરાબર હિસ્સો મળશે. એટલા માટે તેઓ મારા પાસે જલ્દી (અઝાબ) ન માંગે.
(૬૦) તો ખરાબી છે કાફિરો માટે તેમના એ દિવસના (કયામતના) જેનો તેમને વાયદો આપવામાં આવે છે. (ع-૩)