Surah Al-Anfal

સૂરહ અલ અન્ફાલ

રૂકૂઅ : ૩

આયત ૨૦ થી ૨૮

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اَطِیْعُوا اللّٰهَ وَ رَسُوْلَهٗ وَ لَا تَوَلَّوْا عَنْهُ وَ اَنْتُمْ تَسْمَعُوْنَۚۖ ۧ (20)

(૨૦) અય ઈમાનવાળાઓ! અલ્લાહ અને તેના રસૂલનું આજ્ઞાપાલન કરો અને તેનાથી (આજ્ઞાપાલનથી) મોઢું ન ફેરવો, સાંભળવા જાણવા છતાં.


وَ لَا تَكُوْنُوْا كَالَّذِیْنَ قَالُوْا سَمِعْنَا وَ هُمْ لَا یَسْمَعُوْنَ (21)

(૨૧) અને તમે તે લોકોના જેવા ન બની જાઓ જેઓ દાવો તો કરતા હતા કે અમે સાંભળી લીધું, જ્યારે કે તેઓ કશું. સાંભળતા નથી.


اِنَّ شَرَّ الدَّوَآبِّ عِنْدَ اللّٰهِ الصُّمُّ الْبُكْمُ الَّذِیْنَ لَا یَعْقِلُوْنَ (22)

(૨૨) બેશક ઘણી ખરાબ માનવજાતિ અલ્લાહ (તઆલા)ની નજદીક તે લોકો છે જેઓ બહેરા છે, મૂંગા છે કે જેઓ થોડું પણ નથી સમજતા.


وَ لَوْ عَلِمَ اللّٰهُ فِیْهِمْ خَیْرًا لَّاَسْمَعَهُمْ ؕ وَ لَوْ اَسْمَعَهُمْ لَتَوَلَّوْا وَّ هُمْ مُّعْرِضُوْنَ (23)

(૨૩) અને જો અલ્લાહ (તઆલા) તેમનામાં કોઈ ભલાઈ જોતો તો તેમને સાંભળવાની તાકાત આપતો અને જો તેમને સંભળાવી દેવામાં આવે તો પણ છેવટે વિમૂખ થઈને જરૂર મોઢું ફેરવી લેશે.


یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا اسْتَجِیْبُوْا لِلّٰهِ وَ لِلرَّسُوْلِ اِذَا دَعَاكُمْ لِمَا یُحْیِیْكُمْ ۚ وَ اعْلَمُوْۤا اَنَّ اللّٰهَ یَحُوْلُ بَیْنَ الْمَرْءِ وَ قَلْبِهٖ وَ اَنَّهٗۤ اِلَیْهِ تُحْشَرُوْنَ (24)

(૨૪) અય ઈમાનવાળાઓ! તમે અલ્લાહ અને તેના રસૂલના હુકમોનું પાલન કરો, જ્યારે કે રસૂલ તમને તમારા જીવનના વિષય તરફ બોલાવતા હોય, અને યાદ રાખો કે અલ્લાહ (તઆલા) માનવી અને તેના દિલની વચ્ચે આડ બની જાય છે, અને બેશક તમારે અલ્લાહ પાસે જ એકઠા થવાનું છે.


وَ اتَّقُوْا فِتْنَةً لَّا تُصِیْبَنَّ الَّذِیْنَ ظَلَمُوْا مِنْكُمْ خَآصَّةً ۚ وَ اعْلَمُوْۤا اَنَّ اللّٰهَ شَدِیْدُ الْعِقَابِ (25)

(૨૫) અને તમે એવી મુસીબતથી બચો કે જે ખાસ કરીને તે લોકો ઉપર જ નહિ ઉતરે જેઓ તમારામાંથી તે ગુનાહોના અપરાધી છે, અને જાણી લો કે અલ્લાહ (તઆલા) સખત સજા આપનાર છે.


وَ اذْكُرُوْۤا اِذْ اَنْتُمْ قَلِیْلٌ مُّسْتَضْعَفُوْنَ فِی الْاَرْضِ تَخَافُوْنَ اَنْ یَّتَخَطَّفَكُمُ النَّاسُ فَاٰوٰىكُمْ وَ اَیَّدَكُمْ بِنَصْرِهٖ وَ رَزَقَكُمْ مِّنَ الطَّیِّبٰتِ لَعَلَّكُمْ تَشْكُرُوْنَ (26)

(૨૬) અને તે સમયને યાદ કરો, જ્યારે કે તમે ધરતી પર થોડા હતા, કમજોર માનવામાં આવતા હતા, એવા ડરમાં રહેતા હતા કે તમને લોકો ઉચકી ન લે, તો અલ્લાહે તમને રહેવા માટે જગ્યા આપી અને તમને પોતાની મદદ વડે તાકાત આપી અને તમને પવિત્ર રોજી આપી કે જેથી તમે આભારી બનો.


یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَخُوْنُوا اللّٰهَ وَ الرَّسُوْلَ وَ تَخُوْنُوْۤا اَمٰنٰتِكُمْ وَ اَنْتُمْ تَعْلَمُوْنَ (27)

(૨૭) અય ઈમાનવાળાઓ! તમે અલ્લાહ અને રસૂલના (હકમાં) ખયાનત ન કરો અને પોતાની અમાનતોમાં ખયાનત ન કરો, અને તમે જાણો છો.


وَ اعْلَمُوْۤا اَنَّمَاۤ اَمْوَالُكُمْ وَ اَوْلَادُكُمْ فِتْنَةٌ ۙ وَّ اَنَّ اللّٰهَ عِنْدَهٗۤ اَجْرٌ عَظِیْمٌ ۧ (28)

(૨૮) અને એ વાત પણ જાણી લો કે તમારું ધન અને તમારી સંતાન એક પરીક્ષા માટે છે, (અને આ વાતને પણ જાણી લો) કે અલ્લાહ (તઆલા) પાસે ઘણો મોટો બદલો છે. (ع-)